બાળકોને વાંચતા શીખવવા માટે પ્રજ્ઞા અભિગમ પ્રમાણે (વાંચન પગલાં) તથા કક્કા અને બારાક્ષરીના ક્રમમાં (વાંચનમાળા) ૧૦૦ ટકા બાળ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે.
ભાષાશિક્ષણના પાયાનાં ચાર કૌશલ્યો : શ્રવણ, કથન, વાંચન અને લેખન પૈકી વાંચન કૌશલ્યના સંપૂર્ણ અભ્યાસક્રમને આ પુસ્તકોમાં આવરી લેવામાં આવ્યો છે.
બાળકના શીખવાના ક્રમને ધ્યાનમાં રાખીને તે મુજબ સૌ પ્રથમ મૂળાક્ષરોનું વાંચન, પછી સાદા શબ્દોનું વાંચન, ત્યારબાદ વાક્યોનું વાંચન, ફકરાનું વાંચન અને છેલ્લે વાર્તાનું આરોહ-અવરોહ સાથેનું વાંચન એમ ક્રમબદ્ધ ગોઠવણી કરવામાં આવી છે.
બાળકોને દ્રઢીકરણ થાય તે માટે વધુમાં વધુ શબ્દોનો મહાવરો આપવામાં આવ્યો છે.
આ પુસ્તકમાં આપવામાં આવેલા શબ્દો, વાક્યો તથા ફકરાંઓમાં પાઠ્યક્રમનાં મૂળાક્ષરો, માત્રાઓ જે બાળક હજુ શીખ્યો નથી એ આગળ આવી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અભ્યાસક્રમની ક્રમબદ્ધ રચના કરવામાં આવી છે.
આ પુસ્તકોમાં વિષયવસ્તુને અનુરૂપ રંગીન તથા આકર્ષક ચિત્રોને આબેહૂબ રજૂ કરવામાં આવ્યાં છે. વાંચનયાત્રામાં પા…પા પગલી કરતાં નાનાં બાળકો સુંદર રંગીન ચિત્રોને જોઈને વિષયવસ્તુ સાથે જોડાણ અનુભવશે. આ રીતે તે ઝડપથી વાંચવાનું શીખી શકશે.
Reviews
There are no reviews yet.
Be the first to review “વાંચનમાળા (Big Size)” Cancel reply
Reviews
There are no reviews yet.